Friday 9 August 2013

Svatantra Bharat (Gujarati Book)



સ્વતંત્ર ભારત – (ગુજરાતી બુક)
     ગાંધીજી આજે હોત તો કેવો યુ ટર્ન લેત ?
     ગાંધીજીએ તો કહેલું કે દેશના માણસનું સ્વરાજ એટલે દેશનો કોઈપણ નાગરિક કોઈના દયાદાન પર જીવે નહીં, કોઈની સેવા લેવાનો તેને વખત આવે નહીં. આપણા બંધારણમાં પણ લખ્યું છે કે પ્રત્યેક માણસને કમ સે કમ પાયાનાં સુખો પ્રાપ્ત કરવાનો હક અને તક મળવા જોઈએ. રહેવા માટે નાનકડું ઘર, કપડાં, સ્વાસ્થ્યપ્રદ ભોજન, પોતાનું સ્વાતંત્ર્ય તથા માણસમાણસ વચ્ચેની પોતાની ભૂમિકા સમજી શકે તેટલું શિક્ષણ મળવું જોઈએ. પૂરતી આરોગ્યસેવા, જીવનનિર્વાહના સાધનો વગેરે તમામ જરૂરી સુવિધાઓ માણસમાત્રને સહેલાઈથી પ્રાપ્ત થવા જોઈએ. લોકશાહીમાં એટલો તેનો અધિકાર હોય છે.
ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ લખ્યું તે પછીના વર્ષોમાં આખું જગત બદલાઈ ગયું છે. ગાંધીજી તો સદા વિકસતા મહામાનવ હતા. આજે ગાંધીજી હોત તો તેઓ કેવો યુ ટર્ન લેત અને ‘હિંદ સ્વરાજ’ને સ્થાને કેવું ‘સ્વતંત્ર ભારત’ લખતે તે વાત નાનુભાઈ નાયકે શાસનવ્યવસ્થા બદલવાના છ પુસ્તકોમાંના આ એક ‘સ્વતંત્ર ભારત’માં ચર્ચી છે. લેખકે ‘હિંદ સ્વરાજ’ની જેમ જ ગાંધીજી અને હરીલાલ સાથે પોતાના સંવાદરૂપે મૂકીને લગભગ ૩૦૦ પાનાનું આ ‘સ્વતંત્ર ભારત’ પુસ્તક લખ્યું છે.
આ બધી વાતોનો સમન્વય સાધીને લેખકે આ પુસ્તકમાં શા માટે શાસનવ્યવસ્થાની સિસ્ટમ સાવ નકામી થઈ ગઈ છે અને દલિતો તથા દરિદ્રનારાયણોના સુખ માટે ગાંધીવિચાર  સાથે જોડીને પક્ષરહિત સમાજવ્યવસ્થા જ શ્રેષ્ઠ ઉપાય છે તે સમજાવ્યું છે.
ગુજરાતના જાણીતા નાટ્યલેખક, સાહિત્યકાર પ્રોફેસર જ્યોતિ વૈદ્યે આ પુસ્તકને સાંપ્રત પરિસ્થિતિના ઇન્સાઈક્લોપિડીયા જેવું કહ્યું છે.
 


Wednesday 7 August 2013

Swatantra Bharat - (Hindi Book)



गांधीजी आज होते तो कैसा यु टर्न लेते ?
      गांधीजी ने कहा था कि देश के लोगों का स्वराज याने देश का कोई भी नागरिक किसी की दया या दान पर न जीएं, उसे किसी की सेवा लेने का वक्त न आये. संविधान में लिखा है कि प्रत्येक नागरिक को कम से कम प्राथमिक सुख-सुविधा प्राप्त करने का अधिकार और मौका मिलना चाहिए. रहने के लिये घर, कपडें, स्वास्थ्यप्रद भोजन, स्वातंत्र्य, शिक्षा, पर्याप्त आरोग्यसेवा और जीवननिर्वाह कि सुविधा सरलता से मिलनी चाहिए. लोकतंत्र में इतना उसका अधिकार होता है.
गांधीजी ने हिन्द स्वराज लिखा था, उसे काफी समय बीत गया है. विश्व बदल गया है. गांधीजी तो सदा विकासशील महामानव थे. आज वे होते तो कैसा यु टर्न लेते और हिन्द स्वराज के स्थान पर कैसा स्वतंत्र भारत लिखते यह बात नानूभाई नायक ने समाज व्यवस्था बदलने हेतु लिखी पुस्तकों में से हिन्द स्वराज की तरह गांधीजी और हरिलाल के साथ स्वयं के संवाद के रूप में स्वतंत्र भारत में लिखी है.
इस पुस्तक में दलितों और दरिद्र नारायणों के सुख हेतु गांधी विचार को जोड़ते हुए पक्षरहित समाज व्यवस्था ही श्रेष्ठ उपाय है वह समजाया है.
गुजरात के प्रसिद्ध नाट्यलेखक, साहित्यकार, प्रोफेसर ज्योति वैद्यने इस पुस्तक को सांप्रत स्थिति का इन्साइक्लोपिडीया कहा है.